Uncategorized

કેન્સરના દર્દીઓ કેવી રીતે સ્વાસ્થ્યપ્રદ રૂપે માતા-પિતા બની શકે છે?

કેન્સરના દર્દીઓ કેવી રીતે સ્વાસ્થ્યપ્રદ રૂપે માતા-પિતા બની શકે છે?

[tm_spacer size=”xs:20;sm:20;md:20;lg:45″]કેન્સરનું નિદાન પીડાદાયક હોઈ શકે છે કારણ કે તે વ્યક્તિની શારીરિક, મનોવૈજ્ઞાનિક અને નાણાકીય સ્થિતિને અસર કરીને વ્યક્તિના જીવનને અસ્વસ્થ બનાવે છે. ઘણા લોકો જાણતા નથી કે કેન્સર અને તેની સારવાર જેમ કે કિરણોત્સર્ગ અને કીમોથેરાપી પણ પુરુષો અને સ્ત્રીઓ બંનેની પ્રજનનક્ષમતાને અસર કરે છે. પરંતુ ફર્ટિલિટી પ્રિઝર્વેશન જેવી અદ્યતન ફર્ટિલિટી સારવાર વિકલ્પો વ્યક્તિની પ્રજનનક્ષમતાને અકબંધ રાખવા અને કેન્સરના દર્દીઓને ભવિષ્યમાં તેમના પરિવારને તેમની સુવિધા અનુસાર વધારવા માટે સક્ષમ બનાવવા માટે આશાના કિરણ તરીકે આવે છે. કેન્સર પછી પણ માતા-પિતા બનવાની સંભાવના વિશે જાગૃતિ એ સમયની જરૂરિયાત છે.

કેન્સર પ્રજનનક્ષમતાને કેવી રીતે પ્રભાવિત કરે છે?

  1. રોગ સ્વયં ઓવ્યુલેશન માટે જરૂરી હોર્મોન્સને ખલેલ પહોંચાડીને શરીરમાં ફેરફારોનું કારણ બની શકે છે, અને પ્રજનન અંગો પર દબાણની અસરને કારણે પ્રજનનક્ષમતા ઘટાડે છે.
  2. કેન્સર સર્જરી: જો સારવારના ભાગ રૂપે અંડાશય, ગર્ભાશય અથવા અંડકોષ દૂર કરવામાં આવે, તો તે વ્યક્તિની ગર્ભધારણ કરવાની ક્ષમતાને અસર કરી શકે છે.
  3. રેડિયેશન: રેડિયેશનની માત્રા, અવધિ અને સ્થળના આધારે, વ્યક્તિ અંડાશયમાં ઇંડા પણ ગુમાવી શકે છે જેનાથી સમય પૂર્વ અંડાશયની નિષ્ફળતા થઇ શકે છે અથવા અંડકોષમાંથી શુક્રાણુના કારણે અઝોસ્પર્મિયા થઇ શકે છે.
  4. કીમોથેરાપી: કીમોથેરાપીમાં વપરાતી ઘણી દવાઓ અંડાશય અથવા વૃષણ માટે હાનિકારક છે અને સાયક્લોફોસ્ફેમાઇડ જેવા અલ્કાયલેટીંગ એજન્ટો ટોચ પર છે. આ દવાઓ ઓસાઇટ્સનો નાશ કરી શકે છે અને સ્ત્રીઓમાં ફોલિક્યુલર પૂલને ખાલી કરી શકે છે. તે પુરૂષોમાં શુક્રાણુ અથવા સૂક્ષ્મજંતુના કોષોમાં ઘટાડો તરફ દોરી શકે છે જેના કારણે પ્રજનનક્ષમતામાં ઘટાડો થાય છે.
  5. કેન્સર અને તેની સારવાર સ્ત્રીઓમાં માસિક ધર્મમાં વિક્ષેપ અને પુરુષોમાં જાતીય તકલીફ તરફ દોરી શકે છે જે સફળ ગર્ભધારણની શક્યતાને વધુ અસર કરે છે.
  6. વય: વધતી ઉંમરે નિદાન અને સારવાર થવાથી કીમોથેરાપી અને રેડિયેશનને કારણે અંડાશય અથવા વૃષણનું નુકશાન થવાનું જોખમ વધે છે.

ફર્ટિલિટી પ્રિઝર્વેશન- માતાપિતા બનવા માટેનું એક વરદાન:

ફર્ટિલિટી પ્રિઝર્વેશન એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા ભવિષ્યના ઉપયોગ માટે ઇંડા, શુક્રાણુ, ગર્ભ, અંડાશય અથવા અંડકોષની પેશી ક્રાયોપ્રીઝર્વ્ડ (પ્રવાહી નાઇટ્રોજનમાં -196 ડિગ્રી સેલ્સિયસના અત્યંત નીચા તાપમાને સંગ્રહિત) કરવામાં આવે છે. જ્યારે કેન્સરની સારવાર પૂર્ણ થાય છે અને સ્ત્રી અથવા પુરુષ અથવા દંપતિ ગર્ભાવસ્થા માટે તૈયાર હોય, ત્યારે ફ્રિજ કરેલ ઇંડા/વીર્ય/ભ્રૂણને પિગાળીને અને ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવા માટે આઈવીએફ કરી શકાય છે.

ફર્ટિલિટી પ્રિઝર્વેશનના પ્રકારો:

a. એમ્બ્રીયો ક્રાયોપ્રિઝર્વેશન:

અહીં, પરિપક્વ ઇંડા ઓવેરિયન સ્ટિમ્યુલેશન સાથે અથવા વગર સ્ત્રીઓમાંથી મેળવવામાં આવે છે અને આઈવીએફ દ્વારા શુક્રાણુ સાથે નિષેચિત કરવામાં આવે છે. ગર્ભાધાન પછી રચાયેલ ગર્ભ ફ્રીજ કરવામાં આવે છે. જ્યારે કેન્સરની સારવાર પૂરી થાય અને સ્ત્રી ગર્ભાવસ્થા માટે તૈયાર થાય છે, ત્યારે ફ્રીજ કરેલ ભ્રૂણને પીગાળીને તેનું પ્રત્યારોપણ સ્ત્રીના ગર્ભાશયમાં કરવામાં આવે છે જેથી તે માતૃત્વ પ્રાપ્ત કરી શકે. આ પદ્ધતિથી ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવાની શ્રેષ્ઠ તકો છે.

b. સ્પેરમ ફ્રીઝીંગ:

કેન્સર પીડિત પુરુષો માટે, સારવાર શરૂ થાય તે પહેલાં શુક્રાણુઓ પુનઃપ્રાપ્ત કરી શકાય છે અને પછીના ઉપયોગ માટે ફ્રીજ કરી શકાય છે. યુવાવસ્થાપૂર્વ

છોકરાઓમાં, વૃષ્ણીય પેશી ફ્રીજ થઈ શકે છે જે પછીથી પ્રત્યારોપિત કરવામાં આવે છે અને એઆરટીમાં ઉપયોગ માટે શુક્રાણુ કાઢવામાં આવે છે.

c. ઓસાઈટ ક્રાયોપ્રિઝર્વેશન:

નિદાન અને કેન્સરની સારવારની શરૂઆત વચ્ચેના ઉપલબ્ધ સમયને આધારે આ ચક્રના કોઈપણ સમયે કરી શકાય છે. પ્રોટોકોલનું આયોજન કરતી વખતે દર્દીની ઉંમર, માસિક ચક્રનો સમય અને કેન્સરનો પ્રકાર જેવા અન્ય પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. જો શક્ય હોય તો, અંડાશયમાં વિકાસશીલ પુટિકાની સંખ્યા વધારવા માટે હોર્મોન ઇન્જેક્શન આપવામાં આવે છે, જે પછી કેન્સરની સારવાર પહેલાં સ્ત્રીઓમાંથી ઇંડા મેળવવામાં આવે છે અને તેને ફ્રીજ કરવામાં આવે છે. જ્યારે તેણીને ગર્ભાવસ્થાની ઇચ્છા થાય ત્યારે ફ્રીજ કરેલ ઇંડાને પીગાળીને શુક્રાણુ સાથે નિષેચિત કરી શકાય છે.

d. ડી. ઓવેરિયન ટીશ્યુ ક્રિઓપ્રીઝર્વેશન:

અહીં, એક ભાગ અથવા સંપૂર્ણ અંડાશય દૂર કરવામાં આવે છે અને ફ્રિજ કરવામાં આવે છે. આ યુવાવસ્થા-પૂર્વ છોકરીઓ અને સ્ત્રીઓમાં પણ ઉપયોગી છે જ્યાં વિવિધ કારણોસર ઓવેરિયન સ્ટિમ્યુલેશન શક્ય નથી. સારવાર પૂર્ણ થયા પછી અને જ્યારે સ્ત્રી ગર્ભાવસ્થા માટે તૈયાર હોય, ત્યારે અંડાશયના પેશીને પેડું પોલાણ અથવા હેટરોટોપિક સાઇટમાં ફરીથી પ્રત્યારોપણ કરવામાં આવે છે. આ પ્રક્રિયાનો ફાયદો છે કે દર્દીઓને તેમના સામાન્ય પ્રજનન અંતઃસ્ત્રાવી કાર્યને પાછું મેળવવામાં મદદ કરે છે, જે અભ્યાસમાં નોંધ્યા મુજબ લગભગ 90% કેસોમાં જોવા મળે છે. આ પેશી કામ કરવાનું શરૂ કરે છે અને આ પ્રત્યારોપિત કરેલ પેશી દ્વારા ઉત્પાદિત ઇંડાને એકત્ર કરી ગર્ભાધાન માટે ઉપયોગમાં લઈ શકાય છે.

કેન્સરે કોઈનું માતાપિતા બનવાનું સ્વપ્ન છીનવી શકે નહીં! કેન્સરના નિદાન પછી યોગ્ય નિર્ણય લેવો એ સર્વોચ્ચ મહત્વપૂર્ણ છે જે ભવિષ્ય માટે વ્યક્તિની પ્રજનન ક્ષમતાને બચાવી શકે છે.

Was this article helpful?
YesNo

fill up the form to get a

Free Consultation

Your data is 100% safe with us.

Avail 0% interest on EMI
All Procedures | No Upper Limit

How we reviewed this article:

SOURCES HISTORY
  • Current Version
  • March 27, 2023, 4:32 pm by Oasis Fertility
  • March 27, 2023, 4:32 pm by Oasis Fertility
  • March 27, 2023, 4:12 pm by Oasis Fertility
  • March 27, 2023, 4:03 pm by Oasis Fertility
  • March 27, 2023, 4:02 pm by Oasis Fertility
  • March 27, 2023, 3:34 pm by Oasis Fertility
  • March 27, 2023, 3:09 pm by Oasis Fertility

LatestTrending

Ad

BOOK A FREE CONSULTATION

Book

Appointment

Call Us

1800-3001-1000